A2Z सभी खबर सभी जिले कीअन्य खबरेसूरत

જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિને ભાટિયા ગામે દાન અને આનંદથી તહેવાર ઉજવ્યો

ગરીબો સાથે ઉજવાઈ મકરસંક્રાંતિ જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિને ભાટિયા ગામે દાન અને આનંદથી તહેવાર ઉજવ્યો અશોક પટેલ ભાટીયા(સુરત) જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મકરસંક્રાંતિનો પાવન તહેવાર ગરીબ અને જરૂરિયાતમંદ લોકો સાથે માનવતા અને સંવેદનાના ભાવ સાથે ઉજવવામાં આવ્યો. મકરસંક્રાંતિ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં જરૂરિયાતમંદોને કપડાં, ગરમ ધાબળા, ચીકી, તલ-લાડુ, પતંગ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું. તહેવારના પરંપરાગત રંગો સાથે સેવાભાવ જોડાતા સમગ્ર માહોલ આનંદ, ઉત્સાહ અને માનવીય ઉષ્માથી ભરાઈ ગયો. જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનની આ સેવા પ્રવૃત્તિ દ્વારા માત્ર સામગ્રીનું દાન નહીં, પરંતુ ગરીબ પરિવારો સાથે તહેવારની ખુશી વહેંચવાનો સંદેશો સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો. જરૂરિયાતમંદોના ચહેરા પર દેખાયેલી ખુશી અને સ્મિત એ જ આ કાર્યક્રમની સૌથી મોટી સફળતા રહી. આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનના પ્રમુખ શ્રીમતી જ્યોતિબેન ચૌહાણ સહિત ગ્રુપના સભ્યો શ્રી દિનેશભાઈ, શ્રી ગુણવંતભાઈ, શ્રી અશોકભાઈ, શ્રીમતી શાંતાબેન, શ્રીમતી નીશાબેન, શ્રીમતી કવિતાબેન, શ્રી સુભાષભાઈ, શ્રી ગિરીરાજભાઈ તથા અન્ય સભ્યો હાજર રહી સેવા કાર્યમાં સહભાગી બન્યા હતા. “તહેવાર ત્યારે જ સાચો, જ્યારે દરેક સાથે ઉજવાય” એવા વિચારને સાકાર કરતી જાયન્ટ્સ ગ્રુપ ઓફ સચિનની આ પહેલે મકરસંક્રાંતિને સાચા અર્થમાં માનવતાનો તહેવાર બનાવ્યો.

Back to top button
error: Content is protected !!